Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

તારા વિના જીવનની મહત્તા
ના હોત કૈંયે, રચનાય એની
અશક્ય સાચે સઘળીય હોત આ,
ના ચેતના વીર્ય પ્રસન્નતાના

ઊડી રહ્યા હોત અમીફુવારા
અંગાંગમાંથી મુજ રક્તબિંદુ ને
પ્રશ્વાસ કે શ્વાસથકી; ન હોત તું
તો વિશ્વમાં ના પ્રકટ્યો જ હોત હું.

એ સર્વ સાચું, પણ જો ન મારું
અસ્તિત્વ આ હોત ધરાતલે કદી
તો મૂલ્ય તારું પણ હોત કેટલું
તારીય હોત જ શી મહત્તા?

ઉસ્તાદથી સાર્થ થતી સિતાર તો
ઉસ્તાદ યે ધન્ય બને સિતારથી.

- શ્રી યોગેશ્વરજી