ના શૈલ સમ થવા માગું.
વિવિધ વૃત્તિના વાય વાયરા
તર્ક-વિતર્ક ભલે સળવળતા,
સંવેદનનો સ્વાનુભવ કરી
નિજ સ્વરૂપમાં જાગું.... ના શૈલ સમ
વિરોધ આવે વળી
વિરોધાભાસો અભિનવ ભાસે,
નિંદા-સ્તુતિ જય-પરાજયે
ના અશ્રુ સારવા લાગું.... ના શૈલ સમ
દોષ દઉં ના કોને, મમતા
ભલે મધુર ના ત્યાગું;
જીવનને સોમલ સમ સમજી
સ્વપ્ને પણ ના ભાગું.
કોમળ કુસુમ સમાન બનીને
સુખ અર્પું વણમાગ્યું.... ના શૈલ સમ
- શ્રી યોગેશ્વરજી