શ્રી રામકૃષ્ણ પરમહંસદેવની અવસ્થા એકદમ અનેરી હતી. ઈશ્વરને એ માતાતુલ્ય માનતા, અને માતૃભાવે જ ભજતા. એ ભાવમાં દિવસો સુધી ડૂબકી લગાવીને એમણે એ ઈશ્વરીશક્તિ જગદંબાનું દર્શન કર્યું હતું. એ શક્તિ એમને માટે કેવળ મન, બુદ્ધિ અથવા ઈન્દ્રિયોથી અતીત અથવા અગમ્ય જ નહોતી રહીઃ સંસારમાં સર્વવ્યાપક થઈને શ્વાસ લેનારી એ શક્તિ એમના પ્રબળ પ્રેમથી પ્રાદુર્ભાવ પામીને એમની આગળ પ્રકટ થઈને દ્રષ્ટિગોચર બની હતી. મન અને બુદ્ધિથી જ નહિ પરંતુ ચક્ષુ જેવી બીજી ઈન્દ્રિયોથી એનો રસાસ્વાદ લઈ શકાય એવી રીતે મૂર્ત બની હતી.
અને એટલું જ નહિ, પરંતુ એથી આગળ વધીને એ મહાપુરૂષના જીવનમાં એ પરમશક્તિ જગદંબાએ એક બીજો અસાધારણ ચમત્કાર સર્જ્યો હતો. એ ચમત્કારની તમને માહિતી છે ? બનતાં લગી હશે જ. જગદંબાના સાક્ષાત્ દર્શનથી જ એ મહાપુરુષને તૃપ્તિ ન મળી, એથી એમનો આત્મા સંપૂર્ણપણે સંતુષ્ટ ન થયો. એ દર્શનને પરિણામે જગદંબા સાથેનો પ્રત્યક્ષ સંપર્ક તો એમને માટે સહજ બન્યો પરંતુ એ સંપર્ક પછી જગદંબા તિરોધાન બન્યાં ત્યારે એમનો આત્મા આક્રંદ કરી ઊઠ્યો. એમને થયું કે જગદંબાએ કૃપા કરીને દર્શન તો આપ્યું, પરંતુ એ દર્શન તો ચપલાના ચમકારા જેવું અથવા અસ્થાયી થયું. એવું દર્શન શા કામનું ? એવા દર્શનથી સંપૂર્ણ શાંતિ કેવી રીતે સાંપડી શકે ? જગદંબાનું એ મનમોહન, મધુમય સ્વરૂપ વધારે કે ઓછા વખત લગી દ્રષ્ટિ સમક્ષ રહેવાને બદલે જ્યારે આઠે પહોર લોચનની સામે હાજર રહે ત્યારે જ સંતોષ થાય. એ ભાવનાથી પ્રેરાઈને રામકૃષ્ણદેવે ફરી વાર તપવા ને પ્રાર્થવા માંડ્યું, અને એ ઉત્કટ પ્રાર્થના તથા તપશ્ચર્યાના ફળસ્વરૂપે જગદંબાની ફરી કૃપા થઈ. એ પછી તો એમના જીવનમાં એવો તબક્કો આવ્યો કે જ્યારે એમને અહર્નિશ જગદંબાના દર્શનનો લાભ મળવા માંડ્યો. જગદંબાનો એમના પર સંપૂર્ણ અનુગ્રહ થયો. અને એને લીધે એ જ્યારે ધારે ત્યારે જગદંબાનું દર્શન કરી શકતા, તથા ઈચ્છાનુસાર જગદંબાની સાથે વાતો કરી શકતા. જગદંબાનું અવતરણ એમના જીવનમાં કાયમને માટે થઈ ગયું.
ભારતમાં પરમાત્મ તત્વની સાથેના સતત અનુસંધાન અથવા તો પ્રત્યક્ષ સંપર્કની એવી ભૂમિકાની પ્રાપ્તિ ભાગ્યે જ કોઈ વિરલ મહાપુરૂષને થઈ હશે. એ દ્રષ્ટિએ જોતાં, રામકૃષ્ણદેવ એક અસાધારણ અપવાદરૂપ મહાપુરૂષ હતા.
દૈવી પરમાત્મશક્તિનું અવતરણ એવી રીતે એક વાસ્તવિક વસ્તુ છે. એવા અવતરણની પૂર્વભૂમિકા રૂપે હૃદયની ઊંડી શુદ્ધિ જોઈએ, લગન જોઈએ, સાધના જોઈએ, અને એથી પણ અગત્યની વાત તો એ છે કે એ શક્તિની ઈચ્છા, તૈયારી કે કૃપા જોઈએ. એ સઘળી વસ્તુનો સુમેળ સધાય તો એ શક્તિનું અવતરણ શક્ય બની શકે ખરું. લૌકિક લાલસા, વાસના કે સ્વાર્થકામનાથી ભરેલા સાધકોને એ શક્તિના સાક્ષાત્કાર તેમ જ સતત સંપર્ક માટેની સાધનામાં સ્વપ્ને પણ સફળતા નથી મળતી.
એ શક્તિનો સાક્ષાત્કાર થયા પછી એની સાથે એવો અલૌકિક સંબંધ સ્થાપિત થાય છે કે એ શક્તિ આપણામાં આવિર્ભાવ પામીને ચોવીસે કલાક કામ કરે છે. આપણે તેને કામ કરતી જોઈ કે અનુભવી શકીએ છીએ. આપણે માટે તે સમાધિની પારના પ્રદેશમાં અનુભવવાની શક્તિ નથી રહેતી, જાગૃતિદશાના પ્રત્યેક પાસામાં ને પ્રત્યેક પળે એનો સભાન સંપર્ક થયા કરે છે. આપણી અંદર રહીને એ જ લખે છે, બોલે છે, ને કાર્ય કરે છે. એની સાથેનો સંબંધ એકધારો, સદાકાળ અને સઘળા સંજોગોમાં ચાલુ રહે છે, ને કદી પણ તૂટતો નથી. મન ને બુદ્ધિથી પરના પ્રદેશમાંથી અવતરણ પામેલી એ શક્તિ ભગવતી ભાગીરથીની જેમ આપણા તન, મન ને અંતરને તથા આપણા અસ્તિત્વના પ્રત્યેક અણુપરમાણુને અનુપ્રાણિત અને પાવન, તથા પ્રસન્ન ને મંગલમય કરતી બધે ફરી વળે છે. આ કોઈ કલ્પના, તરંગ કે હવાઈ વાત નથી, પરંતુ વિકાસની ઉચ્ચતમ અવસ્થા છે, વાસ્તવિકતા છે, અને આધ્યાત્મિક ભૂમિકાની એક અતિ ઉજ્જવલ, અસાધારણ, યથાર્થ પરિસીમા છે. બુદ્ધિ કે કલ્પનાની સહાયતાથી તેને સમજી શકાય પરંતુ અનુભૂતિ વિના તેનું યથાર્થ રહસ્ય કદી ન કળી શકાય.
એ પરમ શક્તિનું અવતરણ થવાથી તન ને મન અલૌકિક બની જાય છે, અને અસાધારણ શક્તિથી સંપન્ન થાય છે. એ શક્તિનું અવતરણ થવાને લીધે જેમ સર્વજ્ઞપણું સહજ બને છે, તેમ સર્વશક્તિમાનપણું પણ પ્રાપ્ત થાય છે. સંક્ષેપમાં કહેવું હોય તો કહી શકાય કે માણસમાં એ પરમ શક્તિની બધી જ વિશેષતાઓ મૂર્તિમંત બનીને પ્રકટ થાય છે, અને એક રીતે જોતાં એ મહામહિમામયી પરમ શક્તિનું સજીવ સાકાર સ્વરૂપ જ બની જાય છે. એની એ અભિનવ અદ્ ભુત, અલૌકિક આવૃત્તિ થાય છે. સમસ્ત સંસારમાં એ દૈવી શક્તિનું અવતરણ શક્ય છે કે કેમ, અને એ દૈવી શક્તિના અવતરણને લીધે સમસ્ત સંસારને દૈવી બનાવવાની સંભાવના છે કે કેમ, એ વિષયને અળગો રાખીએ તોપણ, એટલી વાત તો નિર્વિવાદ છે કે પરમ શક્તિ સાથે સતત સંપર્ક સાધી ચૂકેલા, પરમ શક્તિની પ્રતિમૂર્તિ જેવા એ મહામાનવની હયાતિ જ આ સંસારને માટે આશીર્વાદરૂપ ઠરે છે, સુખકારક તથા શાંતિદાયક થઈ પડે છે. અને પ્રેરણાત્મક ઠરે છે. સંસારને છે તે કરતાં દૈવી બનાવવામાં અથવા તો એની કાયાપલટ કરવામાં એવા મહામાનવની યોગ્યતા બહુ મોટો ભાગ ભજવે છે. એવા મહામાનવના સંકલ્પ, પ્રયાસ, માર્ગદર્શન તથા સેવાકર્મથી સંસારને અસાધારણ લાભ થાય એમાં સંદેહ નહિ.
સંસારને આજે એવા દૈવી શક્તિશાળી મહામાનવની જરૂર છે. આધ્યાત્મિક ક્ષેત્રમાં એવા મહાપુરૂષનો પ્રાદુર્ભાવ એક અદ્ ભુત અજોડ વિક્રમરૂપ લેખાશે. સ્વાર્થ, શોષણ, હિંસા, સ્પર્ધા, ભેદભાવ તેમ જ અશાંતિથી આચ્છાદિત અવનીમાં એ અનેરી ક્રાંતિ કરશે, ને પ્રકાશ પાથરશે. સૃષ્ટિને માટે નવી આશા ઊભી થશે. એવા પૂર્ણ પુરૂષનું પ્રાકટ્ય વહેલામાં વહેલું થાય ને અવનીને માટે અમૂલખ આશીર્વાદરૂપ બની જાય એમ આપણે અંતઃકરણપૂર્વક ઈચ્છીશું ને પ્રાર્થીશું.
માનવની શક્તિ કેવી અમર્યાદ બની શકે છે, અને માનવ કેવો સર્વોત્તમ વિકાસ કરી શકે છે, તેની કલ્પના આટલી વિચારણા પરથી સહેલાઈથી કરી શકાય છે. એટલે જ કહ્યું છે કે 'નર જો કરણી કરે નર કા નારાયણ હોય'. પરંતુ નરમાંથી નારાયણ થવાની કરણી કેટલા કરે છે ? અરે, સાચા અર્થમાં આદર્શ નર થવાની કરણી પણ કેટલા કરે છે ? મોટા ભાગના લોકો તો આંખ મીંચીને જ જીવતા હોય છે. એમાં કેટલી બધી કરુણતા રહેલી છે એનો ખ્યાલ નથી આવતો શું ?
- શ્રી યોગેશ્વરજી
અને એટલું જ નહિ, પરંતુ એથી આગળ વધીને એ મહાપુરૂષના જીવનમાં એ પરમશક્તિ જગદંબાએ એક બીજો અસાધારણ ચમત્કાર સર્જ્યો હતો. એ ચમત્કારની તમને માહિતી છે ? બનતાં લગી હશે જ. જગદંબાના સાક્ષાત્ દર્શનથી જ એ મહાપુરુષને તૃપ્તિ ન મળી, એથી એમનો આત્મા સંપૂર્ણપણે સંતુષ્ટ ન થયો. એ દર્શનને પરિણામે જગદંબા સાથેનો પ્રત્યક્ષ સંપર્ક તો એમને માટે સહજ બન્યો પરંતુ એ સંપર્ક પછી જગદંબા તિરોધાન બન્યાં ત્યારે એમનો આત્મા આક્રંદ કરી ઊઠ્યો. એમને થયું કે જગદંબાએ કૃપા કરીને દર્શન તો આપ્યું, પરંતુ એ દર્શન તો ચપલાના ચમકારા જેવું અથવા અસ્થાયી થયું. એવું દર્શન શા કામનું ? એવા દર્શનથી સંપૂર્ણ શાંતિ કેવી રીતે સાંપડી શકે ? જગદંબાનું એ મનમોહન, મધુમય સ્વરૂપ વધારે કે ઓછા વખત લગી દ્રષ્ટિ સમક્ષ રહેવાને બદલે જ્યારે આઠે પહોર લોચનની સામે હાજર રહે ત્યારે જ સંતોષ થાય. એ ભાવનાથી પ્રેરાઈને રામકૃષ્ણદેવે ફરી વાર તપવા ને પ્રાર્થવા માંડ્યું, અને એ ઉત્કટ પ્રાર્થના તથા તપશ્ચર્યાના ફળસ્વરૂપે જગદંબાની ફરી કૃપા થઈ. એ પછી તો એમના જીવનમાં એવો તબક્કો આવ્યો કે જ્યારે એમને અહર્નિશ જગદંબાના દર્શનનો લાભ મળવા માંડ્યો. જગદંબાનો એમના પર સંપૂર્ણ અનુગ્રહ થયો. અને એને લીધે એ જ્યારે ધારે ત્યારે જગદંબાનું દર્શન કરી શકતા, તથા ઈચ્છાનુસાર જગદંબાની સાથે વાતો કરી શકતા. જગદંબાનું અવતરણ એમના જીવનમાં કાયમને માટે થઈ ગયું.
ભારતમાં પરમાત્મ તત્વની સાથેના સતત અનુસંધાન અથવા તો પ્રત્યક્ષ સંપર્કની એવી ભૂમિકાની પ્રાપ્તિ ભાગ્યે જ કોઈ વિરલ મહાપુરૂષને થઈ હશે. એ દ્રષ્ટિએ જોતાં, રામકૃષ્ણદેવ એક અસાધારણ અપવાદરૂપ મહાપુરૂષ હતા.
દૈવી પરમાત્મશક્તિનું અવતરણ એવી રીતે એક વાસ્તવિક વસ્તુ છે. એવા અવતરણની પૂર્વભૂમિકા રૂપે હૃદયની ઊંડી શુદ્ધિ જોઈએ, લગન જોઈએ, સાધના જોઈએ, અને એથી પણ અગત્યની વાત તો એ છે કે એ શક્તિની ઈચ્છા, તૈયારી કે કૃપા જોઈએ. એ સઘળી વસ્તુનો સુમેળ સધાય તો એ શક્તિનું અવતરણ શક્ય બની શકે ખરું. લૌકિક લાલસા, વાસના કે સ્વાર્થકામનાથી ભરેલા સાધકોને એ શક્તિના સાક્ષાત્કાર તેમ જ સતત સંપર્ક માટેની સાધનામાં સ્વપ્ને પણ સફળતા નથી મળતી.
એ શક્તિનો સાક્ષાત્કાર થયા પછી એની સાથે એવો અલૌકિક સંબંધ સ્થાપિત થાય છે કે એ શક્તિ આપણામાં આવિર્ભાવ પામીને ચોવીસે કલાક કામ કરે છે. આપણે તેને કામ કરતી જોઈ કે અનુભવી શકીએ છીએ. આપણે માટે તે સમાધિની પારના પ્રદેશમાં અનુભવવાની શક્તિ નથી રહેતી, જાગૃતિદશાના પ્રત્યેક પાસામાં ને પ્રત્યેક પળે એનો સભાન સંપર્ક થયા કરે છે. આપણી અંદર રહીને એ જ લખે છે, બોલે છે, ને કાર્ય કરે છે. એની સાથેનો સંબંધ એકધારો, સદાકાળ અને સઘળા સંજોગોમાં ચાલુ રહે છે, ને કદી પણ તૂટતો નથી. મન ને બુદ્ધિથી પરના પ્રદેશમાંથી અવતરણ પામેલી એ શક્તિ ભગવતી ભાગીરથીની જેમ આપણા તન, મન ને અંતરને તથા આપણા અસ્તિત્વના પ્રત્યેક અણુપરમાણુને અનુપ્રાણિત અને પાવન, તથા પ્રસન્ન ને મંગલમય કરતી બધે ફરી વળે છે. આ કોઈ કલ્પના, તરંગ કે હવાઈ વાત નથી, પરંતુ વિકાસની ઉચ્ચતમ અવસ્થા છે, વાસ્તવિકતા છે, અને આધ્યાત્મિક ભૂમિકાની એક અતિ ઉજ્જવલ, અસાધારણ, યથાર્થ પરિસીમા છે. બુદ્ધિ કે કલ્પનાની સહાયતાથી તેને સમજી શકાય પરંતુ અનુભૂતિ વિના તેનું યથાર્થ રહસ્ય કદી ન કળી શકાય.
એ પરમ શક્તિનું અવતરણ થવાથી તન ને મન અલૌકિક બની જાય છે, અને અસાધારણ શક્તિથી સંપન્ન થાય છે. એ શક્તિનું અવતરણ થવાને લીધે જેમ સર્વજ્ઞપણું સહજ બને છે, તેમ સર્વશક્તિમાનપણું પણ પ્રાપ્ત થાય છે. સંક્ષેપમાં કહેવું હોય તો કહી શકાય કે માણસમાં એ પરમ શક્તિની બધી જ વિશેષતાઓ મૂર્તિમંત બનીને પ્રકટ થાય છે, અને એક રીતે જોતાં એ મહામહિમામયી પરમ શક્તિનું સજીવ સાકાર સ્વરૂપ જ બની જાય છે. એની એ અભિનવ અદ્ ભુત, અલૌકિક આવૃત્તિ થાય છે. સમસ્ત સંસારમાં એ દૈવી શક્તિનું અવતરણ શક્ય છે કે કેમ, અને એ દૈવી શક્તિના અવતરણને લીધે સમસ્ત સંસારને દૈવી બનાવવાની સંભાવના છે કે કેમ, એ વિષયને અળગો રાખીએ તોપણ, એટલી વાત તો નિર્વિવાદ છે કે પરમ શક્તિ સાથે સતત સંપર્ક સાધી ચૂકેલા, પરમ શક્તિની પ્રતિમૂર્તિ જેવા એ મહામાનવની હયાતિ જ આ સંસારને માટે આશીર્વાદરૂપ ઠરે છે, સુખકારક તથા શાંતિદાયક થઈ પડે છે. અને પ્રેરણાત્મક ઠરે છે. સંસારને છે તે કરતાં દૈવી બનાવવામાં અથવા તો એની કાયાપલટ કરવામાં એવા મહામાનવની યોગ્યતા બહુ મોટો ભાગ ભજવે છે. એવા મહામાનવના સંકલ્પ, પ્રયાસ, માર્ગદર્શન તથા સેવાકર્મથી સંસારને અસાધારણ લાભ થાય એમાં સંદેહ નહિ.
સંસારને આજે એવા દૈવી શક્તિશાળી મહામાનવની જરૂર છે. આધ્યાત્મિક ક્ષેત્રમાં એવા મહાપુરૂષનો પ્રાદુર્ભાવ એક અદ્ ભુત અજોડ વિક્રમરૂપ લેખાશે. સ્વાર્થ, શોષણ, હિંસા, સ્પર્ધા, ભેદભાવ તેમ જ અશાંતિથી આચ્છાદિત અવનીમાં એ અનેરી ક્રાંતિ કરશે, ને પ્રકાશ પાથરશે. સૃષ્ટિને માટે નવી આશા ઊભી થશે. એવા પૂર્ણ પુરૂષનું પ્રાકટ્ય વહેલામાં વહેલું થાય ને અવનીને માટે અમૂલખ આશીર્વાદરૂપ બની જાય એમ આપણે અંતઃકરણપૂર્વક ઈચ્છીશું ને પ્રાર્થીશું.
માનવની શક્તિ કેવી અમર્યાદ બની શકે છે, અને માનવ કેવો સર્વોત્તમ વિકાસ કરી શકે છે, તેની કલ્પના આટલી વિચારણા પરથી સહેલાઈથી કરી શકાય છે. એટલે જ કહ્યું છે કે 'નર જો કરણી કરે નર કા નારાયણ હોય'. પરંતુ નરમાંથી નારાયણ થવાની કરણી કેટલા કરે છે ? અરે, સાચા અર્થમાં આદર્શ નર થવાની કરણી પણ કેટલા કરે છે ? મોટા ભાગના લોકો તો આંખ મીંચીને જ જીવતા હોય છે. એમાં કેટલી બધી કરુણતા રહેલી છે એનો ખ્યાલ નથી આવતો શું ?
- શ્રી યોગેશ્વરજી